નર્મદાની કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા

2023-01-03 39

સરકાર દ્વારા કરોડોનો ખર્ચે કરી ખેડૂતોના હિત માટે નર્મદાની કેનલો બનાવી છે. પરંતુ અધિકારીઓની બેદરકારીને કારણે રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણીની જરૂરિયાત સમયે જ

કેનાલો ઓવરફ્લો અને કેનાલમાં ગાબડા પડવાની ઘટનાથી ખેડૂતો માટે કેનાલ આફત સમાન બનવા પામી છે. પાટણના સાંતલપુર તેમજ રાધનપુર વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં

સાતથી વધુ કેનાલ ઓવરફ્લો અને તૂટવાની ઘટનાથી ખેડૂતોએ વાવેલ તૈયાર પાકમાં પાણી ફરી વળતા ખેડૂતના મોઢે આવેલ કોડીયો છીંનવાયો હોય તેવા દ્રષ્યો સર્જાયા છે.

Free Traffic Exchange

Videos similaires