એલિસબ્રીજથી પાલડી સુધીનો રિવરફ્રન્ટ બંધ

2023-01-01 28

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આજે ફ્લાવર શૉની શરૂઆત કરવામાં આવી છે. આજે રવિવાર હોવાથી જનમેદની જોવા મળી હતી. વાહનોની કતાર જોવા મળતા પોલીસને એલિસબ્રીજથી પાલડી સુધીનો રિવરફ્રન્ટનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. ફ્લાવલ શૉ આગામી 13 જાન્યુઆરી સુધી ચાલશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. અમદાવાદમાં કોરોનાની ચિંતા છતાં પણ તમામ તકેદારી રાખીને વધુ એક કાર્યક્રમનું AMC દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.

Free Traffic Exchange