આજે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 98મી જન્મજયંતિ છે, જેને ભાજપ દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'સદૈવ અટલ' પહોંચીને પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી. પ્રમુખ દ્રૌપદી મુર્મુ, ઉપપ્રમુખ જગદીપ ધનખર પણ હાજર રહ્યા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય પ્રધાનો અને નેતાઓ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા માટે સમાધિસ્થળે પહોંચ્યા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા'નું નેતૃત્વ કરી રહેલા રાહુલ ગાંધી પણ અટલ બિહારી વાજપેયીને તેમની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ભાજપે તમામ બૂથ પર અટલ જયંતિની મોટા પાયે ઉજવણી કરવાનું નક્કી કર્યું છે, જેમાં પૂર્વ વડાપ્રધાનની કવિતાઓ પર આધારિત કાવ્યાંજલિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'મન કી બાત' પણ આજે પ્રસારિત થશે.