મધ્યપ્રદેશના બૈતુલમાં હારી ગઇ જિંદગી

2022-12-10 699

મધ્યપ્રદેશના (Madhya Pradesh) બેતુલમાં (Betul) બોરવેલમાં પડેલા આઠ વર્ષના તન્મયનું મોત થયું છે. 84 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ શનિવારે સવારે 6 વાગ્યે તન્મયને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. સ્થળ પર હાજર મેડિકલ ટીમે તપાસ બાદ તન્મયને મૃત જાહેર કર્યો હતો.
જનસંપર્ક અધિકારી એસકે તિવારીએ મૃત્યુની પુષ્ટિ કરી હતી. પુત્રના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ છે. હવે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. આ પછી મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

Free Traffic Exchange