ડાકોર મંદિરમાં ભગવાનને ભવ્ય શણગાર કરાયો, ભક્તોથી ઉભરાયું પરિસર

2022-10-25 425

યાત્રાધામ ડાકોર મંદિરમાં દિવાળી ઉત્સવ ઉજવાયો છે. સોમવારે સવારે મંદિર મંગળા આરતી સમયે ભકતોથી ઊભરાયું હતું. મંગળાઆરતી બાદ શ્રીજીને અભ્યાંગ સ્નાન કરાયું હતું.

ત્યારબાદ દિવાળી શૃંગાર ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રીજી સન્મુખ ચોપડા પૂજન કરાયું હતું. રાત્રે 8 કલાકે હાટડી દર્શનનું આયોજન કરાયું હતું. ભગવાનને સુવર્ણ કલમે લેખાં-જોખાં

લખ્યા હતાં. સમગ્ર મંદિર દીપ મળાઓ પ્રજજલિત કરાઈ હતી. મંદિરમાં ચોપડા પૂજન મેનેજર અરવિંદભાઇ મહેતા દ્વારા કરાયું હતું. આ પ્રસંગે મંદિરના રવિન્દ્ર ઉપાધ્યાય, સ્ટાફ ઉપસ્થિત

રહ્યો હતો.

Free Traffic Exchange

Videos similaires