તહેવારોમાં ઈમરજન્સી કેસોને પહોંચી વળવા સરકારી હોસ્પિટલોનું તંત્ર એલર્ટ

2022-10-23 137

દિવાળીના તહેવારોમાં માર્ગ અકસ્માત અને ફટાકડાના કારણે દાઝી જવા સહિતના ઈમરજન્સી કેસ વધી જતાં હોય છે, આ સ્થિતિમાં અમદાવાદની સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં તંત્રને એલર્ટ રહેવા માટે તાકીદ કરાઈ છે, સિવિલ હોસ્પિટલના સૂત્રો કહે છે કે, ઈમરજન્સી ટ્રોમા સેન્ટર ખાતે 250 જેટલા કર્મચારીઓ આમેય ખડેપગે તૈનાત હોય છે, જો ઈમરજન્સી કેસ વધે તો વધારાનો સ્ટાફ તૈનાત કરવામાં આવશે.