દિલ્લીમાં વડાપ્રધાન મોદી સાથે ખોડલધામના ટ્રસ્ટીઓએ કરી મુલાકાત

2022-10-23 181

દિલ્લી ખાતે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સહિત ટ્રસ્ટી રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સાથે ધનીષ્ઠ સબંધ છે. વડાપ્રધાને ખોડલધામમાં ધ્વજા ચડાવવા માટેનું આમંત્રણ સ્વીકાર્યું હતું. આગામી સમયમાં PMOમાંથી તારીખ આપવામાં આવશે. વિધાનસભા ચૂંટણી પહેલાં લેઉવા પાટીદાર નેતાઓની મુલાકાતને લઈને સૌરાષ્ટ્રમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.

Free Traffic Exchange

Videos similaires