જાણો તનોટ માતાજી વિશે, જેમણે પાકિસ્તાનની બોમ્બવર્ષા સામે ભારતીય સેનાની કરી રક્ષા

2022-09-12 562

તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહ રાજસ્થાનની બે દિવસીય મુલાકાતે છે. ત્યારે તેમણે તનોટ માતાના મંદિરે પૂજા અર્ચના કરી હતી. રસપ્રદ બાબત એ છે કે આ મંદિર પર પાકિસ્તાને બોમ્બવર્ષા કરી હતી છતાં મંદિરને ઉની આંચ ન આવી. તનોટ માતાનું સિદ્ધ મંદિર જેસલમેરથી 120 કિમી દૂર થાર રણમાં સરહદ નજીક આવેલું છે. આ દેવીને થારની વૈષ્ણો દેવી અને સૈનિકોની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે પણ તનોટ માતાના મંદિરના સંગ્રહાલયમાં પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા જીવતા બોમ્બ રાખવામાં આવ્યા છે.

Free Traffic Exchange

Videos similaires