સુરતના ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ભાવપૂર્ણ ઉજવણી

2022-08-19 723

સુરતના ઇસ્કોન મંદિરમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી' ના નાદથી વાતાવરણને કૃષ્ણમય બનાવ્યું હતું. ભક્તોએ ભગવાનના વધામણા કર્યા હતા અને પંજરીનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.