કરો દ્વારકાધીશની મધ્યાહન આરતીના દર્શન: ભગવાનને રાજભોગ ધરાયો

2022-08-19 328

આજરોજ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સમગ્ર દ્વારકા કૃષ્ણમય બન્યું છે. દ્વારકાધીશને આજરોજ બપોરે 12 કલાકે રાજભોગ ધરવામાં આવ્યો હતો. સાથે સાથે ભવ્ય આરતી પણ કરવામાં આવી હતી. જન્માષ્ટમીના તહેવારને લઈને દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. આરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસર જાય કનૈયા લાલ કી ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.