આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવા અંકલેશ્વર અને હાંસોટ ખાતે અહેમદ પટેલના સુપુત્રી મુમતાઝ પટેલ ધ્વજવંદન કરવા પહોંચ્યા હતા.જ્યાં રાજનીતિ પ્રવેશ બાબતે સંદેશ ન્યુઝ સાથે ખુલીને વાત કરી હતી. મુમતાઝ પટેલે કબૂલ્યું કે, તેઓ છેલ્લા દોઢ વર્ષથી રાજનીતિમાં એક્ટિવ છે. તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસને ફરીથી વધુ જીવંત કરવા નેતાઓએ જમીન પર ઉતરવું પડશે.