ફરાળી સ્વાદના રસિયાઓને GSTનો ફટકો પડ્યો છે. જેમાં ફરાળી વાનગીઓ પર GSTની અસર જોવા મળી છે. તેથી ફરાળી વાનગીઓને પણ મોંઘવારી ભારે પડી છે. શ્રાવણ માસમાં
ખવાતા ફરાળી હવે મોંઘાદાટ થયા છે. વધતી મોંઘવારી પર સાચા અર્થમાં ફળાહાર કરવા જેવી જનતાની સ્થિતિ નથી. તેમાં ફરાળી અને ફરસાણના પ્રતિકિલોના ભાવ પર નજર કરીએ તો
વેફર રૂપિયા 350થી 400 પ્રતિકીલોએ પહોંચી છે. જે ગત વર્ષે રૂપિયા 300 હતી. તેમજ બફવળા 380થી રૂ.400 પ્રતિકિલોએ છે. જેમાં ગત વર્ષે રૂપિયા 320 હતા.