સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો

2022-07-25 997

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. જેમાં ઓમકારેશ્વર ડેમમાંથી 3.25 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. તથા નર્મદા ડેમમાં 24 કલાકમાં જળ સપાટીમાં 2

મીટરનો વધારો થયો છે. તેમજ RBPH, CHPHના તમામ પાવર હાઉસ, તમામ યુનિટ શરૂ કરવામાં આવ્યા છે.

નર્મદા ડેમની જળ સપાટી 125.92 મીટરે પહોંચી છે. જેમાં મધ્યપ્રદેશના ઓમકારેશ્વ ડેમમાંથી 3 લાખ 25 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. તેમાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં

ધરખમ વધારો થયો છે. જેમાં 24 કલાકમાં 2 મીટરનો વધારો થયો છે. તેથી પાણીની આવક 2 લાખ 92 હજાર ક્યુસેક થઇ છે. તથા સરદાર સરોવરમાં કુલ પાણી સ્ટોરેજ 2290 મિલિયન

ક્યુબીક મીટર છે. જેમાં દર કલાકે ડેમની જળ સપાટીમાં 10થી 12 સેન્ટિમીટરમાં વધારો થયો છે.

Free Traffic Exchange