અમદાવાદમાં 4 કલાકમાં દોઢ ઈંચ વરસાદ, હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું

2022-07-23 1,043

છેલ્લાં કેટલાંક દિવસથી વિરામ લીધા પછી અમદાવાદમાં શનિવારે સાંજથી વીજળીના કડાકા અને વાદળોના ગડગડાટ સાથે વરસેલા મૂશળધાર વરસાદે સમગ્ર શહેરને ઘમરોળી નાંખ્યું હતું. મણિનગરમાં ગોરના કૂવા પાસે વરસાદી પાણી ભરાવાને કારણે વીજ કરંટ લાગવાથી એક મોટર સાયકલ સવારનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.