શાળામાં શિક્ષકોએ સમયસર આવવું, હું એક મિનિટ પહેલા આવ્યો: મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

2022-06-23 1

વડોદરામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં છાણી ગામની મહાવીર સ્વામી પ્રાથમિક શાળા ખાતે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પહોંચ્યા હતા. આ શાળા

માં વધુ 20 બાળકોનો પ્રવેશોત્સવ થયો હતો. તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 120 શાળામાં સતત 3 દિવસ કાર્યક્રમ યોજાશે.

જેમાં મહેસુલ અને કાયદા મંત્રીએ જણાવ્યું હતુ કે કહ્યું બાળકોને સાચું જ્ઞાન મળે તે માટે શિક્ષકોએ પ્રેમાળ સ્વભાવ રાખવો જરૂરી છે. હું પણ શિક્ષણ સમિતિનો ચેરમેન હતો. જેમાં શાળાએ

શિક્ષકો અને વિદ્યાર્થીઓ દરેકે સમયસર આવવુ જોઈએ. તેમજ આજના કાર્યક્રમમાં હું એક મિનિટ પહેલા આવ્યો છું.

Free Traffic Exchange

Videos similaires