અગ્નિપથ યોજનાનો વિરોધ: હિંસા કરી..તો ભરતી નહીં!

2022-06-19 762

કેન્દ્રની અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. એવામાં રક્ષામંત્રાલય દ્વારા ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકના અંતે લેફ્ટિનેન્ટ જનરલ અનિલ પુરી પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ભારતીય સેનાનો આધાર શિસ્ત છે. જેમાં આગચંપી, તોડફોડ અને હિંસાને કોઈ સ્થાન નથી. દરેક વ્યક્તિએ પ્રમાણપત્ર લાવવું પડશે કે, તેઓ વિરોધ પ્રદર્શન કે તોડફોડમાં સામેલ નહતા.

Free Traffic Exchange

Videos similaires