જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં બે સિંહો અને 3 દીપડાને કોરોના વૅક્સિન આપવામાં આવી છે. જેમાં પ્રાણીઓ માટે બનાવેલી કોવિડ વૅક્સનનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. હવે 21 દિવસ બાદ ફરીથી લોહીના નમૂના લેવામાં આવશે. જે બાદ રિસર્ચ કરવામાં આવશે. એન્ટિબૉડી જનરેટ થઈ છે કે કેમ? તેના પર રિસર્ચ કરવામાં આવશે. ગત 6ઠ્ઠી મેના રોજ સિંહોને વૅક્સિન આપવામાં આવી હતી.