વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતે આપઘાત કરતાં આજે વડાલી બંધ, મૃતકની માતાની તબિયત લથડી

2020-02-17 367

હિંમતનગર, વડાલીઃશુક્રવારે બપોરે વડાલીના ખેડૂતે વ્યાજખોરોના ત્રાસથી ખેતરમાં જઇ સેલફોસની ગોળીઓથી જીવન ટૂંકાવી દીધું હતું આ મામલે મૃતકની પત્નીએ બાળકો સાથે આત્મવિલોપનની ચીમકી આપી છે દરમિયાન ખેડૂતની માતા બેભાન થઈ જતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાને 72 કલાકથી વધારે સમય થવા છતાં મૃતકની લાશ સ્વીકારાઈ નથી દરમિયાન આજે વડાલી બંધનું એલાન અપાયું હતું