વચન પત્ર મુદ્દે કોંગ્રેસમાં વિખવાદ,માર્ગ પર ઉતરવાના સિંધિયાના નિવેદન સામે કમલનાથની આકરી પ્રતિક્રિયા

2020-02-15 5,567

કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાના નિવેદનને લઈ મધ્ય પ્રદેશનું રાજકારણ ગરમાયું છે તેમણે વચન પત્રમાં પ્રજાને આપવામાં આવેલા વચનો પૂરા નહીં કરવા બદલ માર્ગ પર ઉતરવાની વાત કરી છે બીજીબાજુ મુખ્યમંત્રી કમલનાથે આ અંગે શનિવારે આકરી પ્રતિક્રિયા આપી હતી આ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કમલનાથે સ્પષ્ટ કહ્યું હતું કે-તો માર્ગ પર ઉતરી જાવ મુખ્યમંત્રી શુક્રવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા ગયા હતા સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમણે સિંધિયા દ્વારા કરવામાં આવેલા આકરા પ્રહાર અંગે નારાજગી દર્શાવી હતી

Videos similaires