નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે રેલીમાં વિવાદીત નારા લગાવડાવ્યા, સોશિયલ મીડિયા પર લોકોએ શપથવિધિ યાદ કરાવી

2020-01-28 1,497

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે ભાજપના વધુ એક નેતા સામે ચૂંટણી પંચે લાલ આંખ કરી છેકેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે એક રેલીમાં સંબોધન કરતી વખતે લોકો પાસે નારા લગાવડાવ્યા હતા જેમાં તેમણે કહ્યું હતુ કે ‘દેશના ગદ્દારોને, ગોળી મારી દેવી જોઈએ’ નાણા રાજ્યમંત્રીના ‘ગોળી મારો…’ વાળા સૂત્રોચ્ચારથી ચૂંટણી પંચ હરકતમાં આવ્યુ છે ચૂંટણી પંચે આ અંગે દિલ્હી જિલ્લા ચૂંટણી પંચ પાસે રિપોર્ટ માંગ્યો છેઅનુરાગ ઠાકુર દ્વારા ‘દેશના ગદ્દારોને ગોળી મારો’ વાળા ભડાકાઉ નિવેદન પર હાલ રાજકીય ગરમી વર્તાઈ રહી છે

Free Traffic Exchange

Videos similaires