દાદા-પૌત્રની એક સાથે સ્મશાનયાત્રા નીકળી, હજારો લોકોએ ભીની આંખોએ વિદાય આપી

2020-01-01 110

મહૂના જાણીતા ઉદ્યોગપતિ અને પાથ ઇન્ડિયાના ડાયરેક્ટર પુનીત અગ્રવાલના પાતાલપાની વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં 31 ડિસેમ્બરની ઉજવણીની પાર્ટી શોકમાંફેરવાઇ ગઇ હતી પુનીત અગ્રવાલ તેમની પત્ની, પુત્રી, જમાઇ, પૌત્ર અને મુંબઇમાં રહેતા ત્રણ સંબંધીઓ સાથે ફાર્મ હાઉસ પર ગયા હતાં જ્યાં બની રહેલા ટાવરમાં લગાવવામાં
આવેલી કેપ્સૂલ લિફ્ટમાં તેઓ ઉતરી રહ્યા હતાં ત્યારે લિફ્ટ 70 ફુટની ઉંચાઇ પરથી અચાનક પલટી હતી અને બધા નીચે પટકાયા હતા મંગળવાર સાંજે 5:30 કલાકે થયેલી આદુર્ઘટનામાં 53 વર્ષના ઉદ્યોગપતિ પુનીત, તેમની 27 વર્ષની પુત્રી પલક, 28 વર્ષના જમાઇ પલકેશ અગ્રવાલ, 3 વર્ષનો પૌત્ર નવ, મુંબઇથી આવેલ પલકેશના 40 વર્ષના બનેવી
ગૌરવ અને 11 વર્ષનો પુત્ર આર્યવીરના મોત થયા હતા બુધવારે શહેરનું આખું બજાર સ્વયંભૂ રીતે બંધ રહ્યું હતું દાદા અને પૌત્રની સ્મશાનયાત્રામાં હજારો લોકો જોડાયા હતા બંનેને એક જ ચિતા પર મુખાગ્ની આપવામાં આવી હતી
અંતિમ વિદાયમાં ભાવૂક દૃશ્યો સર્જાયાં હતાં

Videos similaires