બાલાકોટ હુમલો પાકિસ્તાનને ચેતવણી હતી કે હવે આતંકી હુમલાની કિંમત ચૂકવવી પડશે

2019-12-15 628

ભારતના પૂર્વ એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ કહ્યું છે કે બાલાકોટ એરસ્ટ્રાઈક દેશના છેલ્લા 47 વર્ષના યુદ્ધ ઈતિહાસમાં પોતાની રીતની પ્રથમ સૈનિક વગરની બચાવ કાર્યવાહી હતી ધનોઆએ કહ્યું કે બાલાકોટનો હેતુ પાકિસ્તાન સરકાર અને ત્યાં છુપાયેલા આતંકી સંગઠનોને એ સંદેશો આપવાનો હતો કે ભારત પર કરવામાં આવેલ હુમલાની તેમણે કિંમત ચુકવવી પડશે ચંદીગઢમાં પંજાબ સરકાર તરફથી આયોજિત મિલિટ્રી લિટરેચર ફેસ્ટિવલમાં ‘અંડરસ્ટેન્ડિંગ ધ મેસેજ ઓફ બાલાકોટ’કાર્યક્રમ પર ચર્ચા દરમિયાન ધનોઆએ કહ્યું બાલાકોટ એક્શનનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ હતો કે આતંકવાદીઓને આશરો કે ટ્રેનિંગ આપવા જેવી કોઈ પણ ભારત વિરોધી કાર્યવાહીનો સખ્ત રીતે જવાબ આપવામાં આવશે

Free Traffic Exchange

Videos similaires