ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક આજે લખનૌમાં યોજાઇ હતી અયોધ્યા પર આવેલા ચૂકાદાને લઇને બોર્ડના નેતાઓ આજે બેઠકમાં સામેલ થયા હતા બેઠક પૂર્ણ થયા બાદ બોર્ડ તરફથી પ્રવક્તા સૈયદ કાસીમ રસુલે કહ્યું હતું કે તેઓ આ ચૂકાદાથી ખુશ નથી તેથી રિવ્યૂ પીટીશન ફાઇલ કરશે બોર્ડના કહેવા પ્રમાણે મસ્જિદની જમીન શરિયતના નિયમ પ્રમાણે ટ્રાન્સફર પણ નથી થઇ શકતી અને એક્સચેન્જ પણ નથી થઇ શકતી કોર્ટના જજોએ આર્ટિકલ 142ના ઉપયોગ સમયે વકફના નિયમોને પણ ધ્યાનમાં રાખવા જોઇતા હતા