કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસ ટૂંકાવ્યો, દિલ્હી જવા રવાના થયા

2019-10-25 509

આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા પરંતુ એક જ દિવસમાં પ્રવાસ ટૂંકાવીને સાંજે દિલ્હી પરત રવાના થયા હતા સરકીટ હાઉસ ખાતે અમિત શાહે સીએમ રૂપાણી સાથે બંધ બારણે બેઠક કરી હતી ત્યારબાદ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા કાર્યક્રમ મુજબ મહાત્મા મંદિર ખાતે વિકાસના વિવિધ કાર્યનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને સહાય વિતરણ કાર્યક્રમ બાદ તેઓ બપોરે કલોલની KIRC કોલેજમાં કાર્યક્રમમાં હાજરી આપવાના હતા તેમજ પરિવાર સાથે ધન તેરસ ઉજવવાના હતા

Free Traffic Exchange

Videos similaires