સયાજીગંજ સ્થિત પરશુરામ ભટ્ટમાં આવેલા મકાનમાં મગર આવી પહોંચતા વન વિભાગે રેસ્ક્યૂ ઓપરેશન કર્યું

2019-10-17 226

વડોદરાઃશહેરમાં અતિ ભારે વરસાદના કારણે વિશ્વામિત્રીમાં આવેલા પૂરને પગલે મગરો શહેરના રહેણાક વિસ્તારોમાં પહોંચી ગયાં હતા કેટલાક સ્થળે તો રસ્તા પર પણ મહાકાય મગરો જોવા મળતા પ્રાણી પ્રેમી સંસ્થાઓ દ્વારા રેસ્ક્યૂ કરી વન વિભાગે સોંપી દેવાયાં હતા જો કે, પૂર બાદ રહેણાક વિસ્તારમાં આવી પહોંચેલા મગરો હજીયે દેખા દેતા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે તેવામાં સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભટ્ટના એક મકાનમાં આજે મગરનું બચ્ચું આવી જતા રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપી દેવાયું હતું

Videos similaires