હિંમતનગર:અમદાવાદ હિંમતનગર બ્રોડગેજ પરિવર્તન કામગીરી પૂર્ણ થઇ જતા આજે સાબરકાંઠા સાંસદની ઉપસ્થિતિમાં હિંમતનગર રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તલોદ તથા સોનાસણ રેલ્વે સ્ટેશન પર વાઇફાઇની સુવિધા શરૂ કરાઈ છે પરંતુ ટ્રેન ક્યારે શરૂ થશે તે હજુ નિશ્ચિત નથી હજુ સુધી હિંમતનગર, તલોદ, સોનાસણ સ્ટેશન માસ્તર સહિતના સ્ટાફની નિમણૂંક કરાઇ નથી અને રેલ સુવિધા ક્યારથી શરૂ થશે તે નિશ્ચિત નથી