નવી દિલ્હી/ઈસ્લામાબાદ:પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (PPP)ના ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ મંગળવારે કાશ્મીર મામલા પર ઈમરાન ખાનને અસફળ ગણાવ્યા હતા બિલાવલે મીડિયા સામે કહ્યું- પહેલા આપણે ભારતથી શ્રીનગર છિનવી લેવાની વાત કરતા હતાં, પણ હવે હાલત એવી થઇ ગઇ છે કે આપણને મુઝફ્ફરાબાદ બચાવવાના ફાંફાં થઇ ગયા છે બિલાવલે ફરી ઈમરાન ખાન અને આર્મી પર ટોણો માર્યો કહ્યું- ઈમરાન ખાન ઇલેક્ટેડ નહિ, સિલેક્ટેડ પીએમ છે સિલેક્ટેડ અને સિલેક્ટર્સથી દેશની જનતા હવે જવાબ માગી રહી છે