રાંદેરમાં વેપારી પાસે ખંડણી માગી તમાચા મારનાર માથાભારેને લોકોએ મેથીપાક ચખાડ્યો

2019-08-26 4,758

સુરતઃરાંદેર વિસ્તારમાં જાહેરમાં વેપારી પાસે ખંડણી માંગી તમાચા ઝીંકનાર માથાભારેને લોકોએ માર માર્યો હતોજેથી વર્ચસ્વ જમાવવા હુમલો કરનાર માથાભારે ઈસમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતોસમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી રાંદેર વિસ્તારમાં યાકુબ ચાકુ તીનબત્તી વિસ્તારમાં પોતાનો વર્ચસ્વ બનાવવા માટે રેમ્બો ચાકુ લઇ ટપોરીઓ સાથે ફરતો હતો 23 મીના રોજ જન્માષ્ટમીની મોડી સાંજે ઈરફાન હારુન જીવા નામના વેપારી પર તલવાર વડે હુમલો કર્યો હતોમસ્જિદમાં નમાજ પઢવા જતો હતો ઇરફાન હારુન પર તે વખતે હુમલો થયો હતો

Free Traffic Exchange