સદલાવ ગામે દૂષિત પાણીથી ઝાડા ઊલ્ટીના વાવર, બે લોકોના મોત

2019-07-24 217

સુરતઃનવસારીના સદલાવ ગામે ઝાડા-ઊલ્ટીનો વાવર ફાટી નીકળ્યો છે પીવાના પાણી સાથે દુષિત પાણી ભળી જતા 15 વધુ લોકોને ઝાડા-ઊલ્ટીની અસર થઈ છે જેમાંથી બે લોકોના મોત નીપજતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે સદલાવમાં છેલ્લા થોડા દિવસોથી દૂષિત પાણી પીવાના પાણીની સાથે ભળી જતાં લોકોમાં ઝાડા ઊલ્ટીના રોગચાળાએ માજા મુકી છે 15 લોકોને ઝાડા-ઊલ્ટીની અસર પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં જેમાંથી આલ્કોહોલિક પ્રમાણ ધરાવતા 2 ઇસમોનો ઝાડા-ઊલ્ટી થતા થયું મૃત્યુ થયું હતું જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સદલાવના સુખ નગરી ખાતે બેસ કેમ્પ લગાવાયો છે ઝાડા-ઊલ્ટીની અશર ધરાવતા લોકોને ખડસુપા આરોગ્ય કેન્દ્રનવસારી સિવિલ ખાતે ખસેડાયા છે

Free Traffic Exchange

Videos similaires