અમદાવાદ: 142મી રથયાત્રામાં સુરક્ષાને લઈ પોલીસ દ્વારા શહેરમાં આજે પ્રિ-રિહર્સલ યોજાયું હતું રથયાત્રાના રૂટ પર પોલીસ કમિશનરથી લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રિહર્સલ કર્યું હતું આવતીકાલે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવશે જેમાં તમામ પોલીસ કર્મીઓ, પેરા મિલિટરી ફોર્સ સહિત તમામ પોલીસ કાફલો જોડાશેરથયાત્રા રૂટ પર 25000 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સમગ્ર રૂટની સુરક્ષા 26 ભાગોમાં વહેંચાઈ SRP, CRPFની 27 ટુકડી તહેનાત કરાઈ છે