ચોટીલાના આનંદપુર ખાતે એક ઘરમાં ટીવીમાં બ્લાસ્ટ થતા ઘરના ચીથરા ઉડી ગયા હતા અને આગ ફાટી નીકળી હતી આગ એટલી પ્રચંડ હતી કે ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી અને માતા-પુત્રી ભડથું થઇ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું માતા-પુત્રીને બચાવવાનો પ્રયાસ કરતા જેઠાણી દાઝી ગયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે