ચારધામની યાત્રાનું કહી પ્રવાસીઓને અધવચ્ચે મુકી મહિલા રવાના, પ્રવાસીઓ સ્વખર્ચે ઘરે આવ્યા

2019-06-10 926

અમદાવાદ: શહેરના કૃષ્ણાનગરમાં રહેતા લોકોને ચારધામની ચાત્રામાં લઈ જવાના બહાને મહિલાએ છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ કૃષ્ણાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે મહિલા પૈસા લઈ લોકોને પ્રવાસ લઈ ગઈ હતી અને ત્યારબાદ અધવચ્ચેથી પ્રવાસીઓને પોતાના ખર્ચે યાત્રા કરવાનું કહ્યું હતું કુલ 35 લોકો પાસેથી વ્યક્તિદીઠ 22 હજાર માતા-પુત્રીએ પડાવ્યા હતા આમ કુલ 750 લાખની છેતરપિંડી આચરી હતી