બસપાની સાથે ગઠબંધન તૂટવા પર અખિલેશે કહ્યું- દરેક પ્રયોગ સફળ રહે એ જરૂરી નથી

2019-06-05 1,146

ઉતર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે બુધવારે ગઠબંધન તૂટવા પર કહ્યું કે બસપા પ્રમુખ માયાવતી માટે તેમના હ્રદયમાં હમેશા માન રહેશે તેમણે કહ્યું કે હું એન્જિનિયરિંગનો વિધાર્થી રહ્યો છું અને ગઠબંધન એક પ્રયોગ હતો દરેક પ્રયોગ સફળ થાય તે જરૂરી નથી પરંતુ આપણે ફરી આમ કરીને તેમાંથી શીખએ છીએ કે શું ખામી રહી ગઈ હતી માયાવતીએ મંગળવારે સપાના ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે પ્રદેશમાં 11 વિધાનસભા સીટ પર થનાર પેટા-ચૂંટણીમાં બસપા એકલી લડશે લોકસભા ચૂંટણીમાં સપાને 5 અને બસપાને 10 સીટ મળી હતી બીજી તરફ ભાજપને અહીં 62 સીટો મળી હતી

Free Traffic Exchange

Videos similaires